મુંબઈ: મહારાષ્ટ્રના રાજકીય ગલિયારાઓમાં Uddhav Thackeray vs Eknath Shinde વચ્ચે ફરી એકવાર આક્ષેપ-પ્રતિઆક્ષેપની નવી લડાઈ શરૂ થઈ ગઈ છે. શિવસેનાના સ્થાપના દિવસના ખાસ અવસરે બંને નેતાઓ વચ્ચે જોરદાર શાબ્દિક જંગ જોવા મળી હતી. પક્ષમાં થયેલા મોટા ભંગાણ બાદ, ઉદ્ધવ ઠાકરેએ ભાવુક કાર્ડ રમીને વિરોધીઓને ઘેરવાનો પ્રયાસ કર્યો, જેના જવાબમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફિલ્મી અંદાજમાં આકરો પ્રહાર કર્યો છે.
‘હું હમણાં જ પદ છોડવા તૈયાર છું’ – ઉદ્ધવ ઠાકરેનો દાવ
શિવસેના (UBT)ના કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે ઉદ્ધવ ઠાકરે ખૂબ જ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું, “જો મારા શિવસૈનિકો અને નેતાઓને લાગતું હોય કે હું આ પદ માટે લાયક નથી, તો હું આજે અને અત્યારે જ પદ છોડવા તૈયાર છું. મને સત્તા કે ખુરશીની કોઈ ભૂખ નથી.”
આ સાથે જ તેમણે બળવાખોર જૂથ પર પ્રહાર કરતા કહ્યું કે પૈસાના જોરે પક્ષ પલટો કરનારા ‘ગદ્દારો’ને જનતા ક્યારેય માફ નહીં કરે. તેમણે કોંગ્રેસ સાથેના વિલયની અફવાઓ પર પણ પૂર્ણવિરામ મૂકતા સ્પષ્ટ કર્યું કે શિવસેના ક્યારેય કોઈ પક્ષમાં વિલીન નહીં થાય.
Uddhav Thackeray vs Eknath Shinde લડાઈમાં ‘શોલે’ ડાયલોગની એન્ટ્રી
ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ પલટવાર કરવામાં સહેજ પણ સમય ન બગાડ્યો. તેમણે ટોણો મારતા કહ્યું કે, માત્ર નામની પાછળ ‘ઠાકરે’ સરનેમ લગાવી દેવાથી કોઈ બાળાસાહેબના વિચારોનો સાચો વારસદાર બની જતું નથી.
Uddhav Thackeray vs Eknath Shinde ના આ વિવાદમાં ફિલ્મ ‘શોલે’ના અસરાનીના આઇકોનિક ડાયલોગનો ઉપયોગ કરીને શિંદેએ કટાક્ષ કર્યો, “આધે ઈધર જાઓ, આધે ઉધર જાઓ… પણ હવે ઉદ્ધવની પાછળ કોઈ બચ્યું જ નથી. તેમની પાસે માત્ર થોડાક જ સલાહકારો રહ્યા છે. અહંકારના કારણે તો રાવણની લંકા પણ બળી ગઈ હતી.”
‘રાજકીય ઓપરેશન માટે સિંહનું કલેજું જોઈએ’
એકનાથ શિંદેએ આગળ ઉમેર્યું કે, “હું પોતે ડૉક્ટર નથી, પણ જ્યારે રાજકીય સર્જરી કે ઓપરેશન કરવાની જરૂર પડે છે ત્યારે મને તે બહુ સારી રીતે આવડે છે. અને યાદ રાખજો, ઓપરેશન કરવા માટે વરુનું નહીં પણ સિંહનું કલેજું (દિલ) જોઈએ. વાઘની ચામડી ઓઢી લેવાથી કોઈ વરુ વાઘ નથી બની જતું.” તેમણે પડકાર ફેંક્યો કે સાચો સેનાપતિ ઘરમાં ભરાઈને ઓનલાઈન સ્ક્રીન નથી જોતો, તે મેદાનમાં આવીને લડે છે.







